ગુજરાત
News of Tuesday, 27th April 2021

તિલકવાડા ગામમાં બંધ મકાન માંથી અજાણ્યા ચોરો રૂ.2.97 લાખના રોકડ તથા દાગીનાની ચોરી કરી ફરાર

ઘર માલિક નજીકના ગામમાં આવેલા તેમના જુના ઘરે રહેતા બીમાર માતા,પિતાની દેખરેખ માટે જતા ચોરો હાથ સફાઈ કરી ગયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા ગામમાં બંધ મકાન માંથી અજાણ્યા ચોરો ચોરી કરી નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ તિલકવાડા ગામમાં રહેતા ફુલ્કાન મહંમદ ઉર્ફે રાજા ફિરોજખાન રાઠોડ ની ફરિયાદ અનુસાર તેમના ઘરના મુખ્ય દરવાજા ના નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મુકેલ લગ્નના ચાંદલાના પૈસા તથા ગીરવે જમીન રાખેલ હતી તેના રૂ .૨,૨૦,૦૦૦ / - તથા તેમના લગ્ન માં ગિફટ તરીકે આવેલ ચાંદીની લક્કી કી.રૂ .૧૦, ૦૦૦ / - તથા તેમની મમ્મી મદીનાબેનની સોના ની શેરો આંઠ ગ્રામ કિ.રૂ .૪૦,૦૦૦ / - તથા બીજી તિજોરીમાંથી તેમની બહેન રેશ્માબાનું ના રોકડ રૂ.૨૭,૦૦૦ / - મળી કુલ રૂ .૨,૯૭, ૦૦૦ / - ની કોઈ અજાણ્યા ચોર ચોરી કરી લઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:12 pm IST)