News of Tuesday, 27th April 2021
ભરૂચ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો : ગાજવીજ સાથે વરસાદ અને બરફના કરા પડયા
વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બનતા ગ્રામજનોએ ગરમીથી રાહત: ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
ભરૂચ જિલ્લાના અનેક તાલુકાના ગામોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ અને બરફના કરા પડયા હતા.
ભરૂચ તાલુકાના નબીપુર, પારખેત, સીતપોણ, ટંકારીયા, ઝંગાર, સામલોદ, બબુંસર, ગામોમાં ભર ઉનાળે એકાએક વરસાદ અને બરફના કરા પડતા વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું હતું. અચાનક પડેલા વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બનતા ગ્રામજનોએ ગરમીથી રાહત મેળવી હતી બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું
(6:13 pm IST)