ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે પ્રેમ લગ્ન કરવાની અદાવતમાં યુવક પર ચપ્પુથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ઉમરેઠ:તાલુકાના વણસોલ ગામના અઢિયેલપુરા ખાતે પ્રેમલગj કરવાની અદાવતમાં યુવક પર હુમલો કરીને ચપ્પા તેમજ લાકડાના ડંડાથી માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર મુળ દસકોઈ તાલુકાના કુંંજાડ ગામે રહેતી પારૂલબેન (ઉ. વ. ૧૯)એ ગત ૨૦-૩-૨૧ના રોજ વણસોલ ખાતે રહેતા હિતેશભાઈ રમણભાઈ અઢિયેલ સાથે પ્રેમલગj કર્યા હતા અને તેણીની સાથે વણસોલ ગામે રહેવા જતી રહી હતી. પરિવારના સભ્યોને આ પ્રેમલગj મંજુર નહોતા.
જેથી ગત ૨૪મી તારીખના રોજ રાત્રીના નવેક વાગ્યાના સુમારે પારૂલબેનના પિતા ભવાનસિંહ રણછોડભાઈ સોઢા, ભાઈ પ્રકાશભાઈ ભવાનસિંહ સોઢા અને માતા ટીનાબેન ભવાનસિંહ સોઢા વણસોલ આવી પહોંચ્યા હતા અને તારા ભાઈના લગj નકક્ી કરવાના છે, જેથી તુ અમારી સાથે ઘરે ચાલ તેમ કહ્યું હતુ. જેથી હિતેશભાઈએ અમે બન્ને લગjના દિવસે સાથે આવીશું તેમ કહેતા જ ત્રણેય જણાં એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને હિતેશભાઈને ગડદાપાટુનો માર મારવાનું ચાલુ કરી દીધું હતુ. પ્રકાશભાઈએ પોતાની પાસેનું ધારદાર ચપ્પુ હિતેશભાઈને ગળાના નીચેના ભાગે મારી દીધું હતુ. ટીનાબેન અને ભગવાનભાઈએ પણ લાકડાના ડંડાથી માર માર્યો હતો. દરમ્યાન નજીકમાં રહેતા પારૂલબેનના જેઠ સહિત અન્ય લોકો આવી જતાં વધુ મારમાથી છોડાવ્યા હતા. જતા-જતાં ત્રણેય જણાએ જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી.