News of Saturday, 27th March 2021
SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે ૫૦ સંતો તથા કાર્યકર્તાઓને વેક્સિનનો ડોઝ અપાયો
અમદાવાદ તા. ૨૭ કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પ્રમાણે, SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ૫૦ સંતો તથા કાર્યકર્તાઓને વેક્સિનનો ડોઝ અપાયો.
SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલ વેક્સિનેશન સેન્ટર ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ.
આ પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જનતાને અપિલ કરતા જણાવ્યું હતું કે, સરકારી ગાઇડ લાઇન પ્રમાણે વેક્સિનેશન ક્રાઇટેરિયામા આવતા હોય તે લોકોએ કોઇ પણ જાતનો ડર કે શંકા કુશંકા રાખ્યા વિના પોતે તેમજ પોતાના પરિવાર જનોને કોરોનાથી સુરક્ષિત કરવા વેક્સિનેશન લેવી જોઇએ, ગુજરાતના તમામ હરિભકતો અને ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે રાજી ખુશીથી વહેલી તકે વેક્સિન લે.
(4:09 pm IST)