ગુજરાત
News of Friday, 27th March 2020

આણંદના પરીખભુવનમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી માતા-પુત્રને ઢોરમાર મારનાર વિરુદ્ધ ગુનો દાખલ થતા તપાસ હાથ ધરવામાં આવી

આણંદ :શહેરના પરીખભુવનમાં ગઈકાલે રાત્રીના સુમારે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં માતા-પુત્રને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરીયાદી દેવીબેન ચન્દ્રસિંહ જાદવ ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે સુનીલ કોમલસિંહ રાજપુત અને ગોવિંદ ઉર્ફે ગીલ્લુ ચૌહાણ તેમના ઘરે આવી ચઢ્યા હતા અને દેવીબેનના પુત્ર ગીરીશ સાથે અગાઉ થયેલા ઝઘડાની રીસ રાખીને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી દેવીબેન છોડાવવા વચ્ચે પડતાં તેણીને પણ બે થી ત્રણ ફેંટ મારીને નીચે પાડી દઈ ગડદાપાટુનો માર માર્યો હતો. દરમ્યાન આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને વધુ મારમાથી છોડાવ્યા હતા.

(6:02 pm IST)