રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના હૃદયની ત્રણ નળી બ્લોક ;મુંબઈ હોસ્પિટલમાં ખસેડાયા
મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં મંત્રી પર બાયપાસ સર્જરી કરાશે
અમદાવાદ :રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડતા તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા જ્યાં ન્યૂમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટરોને માલુમ પડ્યું હતું કે હૃદયની લોહી પહોંચાડતી ત્રણ નળી બ્લોક છે. જે બાદમાં મંત્રીને મુંબઈ ખસેડવામાં આવ્યા છે. મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલ ખાતે મંત્રી પર બાયપાસ સર્જરી કરવામાં આવશે.
અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ડોક્ટરોએ રિપોર્ટ કરતા મંત્રીને હૃદયની તકલિફ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે બાદમાં તેમના પર એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. રિપોર્ટમાં માલુમ પડ્યું હતું કે મંત્રીની ત્રણ જેટલી નળી બ્લોક છે. સામાન્ય રીતે ડોક્ટરો આવા કેસમાં સ્ટેન્ટ મૂકતા હોય છે. જોકે, કૌશિક પટેલને વધારે તકલિફ હોવાથી ડોક્ટોરોએ તેમને બાયપાસ સર્જરી માટેની સલાહ આપી હતી