દાદીમા જેવુ નાક હોય અને સત્તા મળી જતી હોય તો ચીનમાં ઘરે ઘરે રાષ્ટ્રપતિ બની જાય !
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના પ્રિયંકા ઉપર આકરા પ્રહારો
આણંદ, તા. ૨૭ :. શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું વિજય સંકલ્પ સંમેલન યોજાયુ હતું. જેમાં ભાજપના માર્ગ પરિવહન પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ કોંગ્રેસના શ્રીમતિ પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.
આણંદમાં ભાજપાના વિજય સંકલ્પ સંમેલનમાં મનસુખ માંડવિયાએ પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, 'દાદીમાં જેવું નાક હોય અને જો સત્તા મળી જતી હોય તો ચીનમાં ઘરે-ઘરે રાષ્ટ્રપતિ બની જાય.' શ્રી માંડવિયાએ કહ્યું હતુ કે જે ગંગાનું વડાપ્રધાન મોદીએ નવીનીકરણ કર્યુ છે તે ગંગામાં હોડીમાં બેસીને સરકારની ટિક્કા કરે છે.
શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં વિદ્યાનગર રોડ પર આવેલા ગ્રાઉન્ડમાં આણંદ બેઠક પર ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું.
બીજી તરફ આણંદ લોકસભા સીટને લઈ હજુ સુધી કોઈ ઉમેદવારનું નામ જાહેર ન થતા પક્ષના કાર્યકરોમાં પાર્ટી દ્વારા કોને ટિકિટ આપવામાં આવશે ? તેને લઈ ઉત્સુકતા જોવા મળી હતી.