ગુજરાત
News of Saturday, 27th February 2021

સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની જન્મ જ્યંતિની પાટડી ખાતે ઉજવણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ભક્તિ આંદોલનના પ્રણેતા, સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજ કે જેઓ કૃષ્ણ ભક્ત મીરાંબાઈના ગુરુ જેમને સામાજિક કુરિવાજો, અસ્પૃશ્યતા, છુઆછુંત, આભડછેટ, સામાજિક અસામનતાઓ દૂર કરવાની સાથે સાથે ધર્મ, સંસ્કૃતિ ની રક્ષા માટે ભક્તિ આંદોલનના માર્ગે સમાજ જાગરણનું અજોડ કાર્ય કર્યું આવા મહાન સંતની જન્મ જ્યંતિની ઉજવણી પાટડી ખાતે કરવામાં આવી હતી. જેમ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને સમાજના તમામ વર્ગના લોકોને જોડી સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મોતીભાઈ ચાવડા, દીપકભાઈ ચૌહાણ, દીપકભાઈ પરમાર વગેરે સ્થાનિક લોકોના સામુહિક પ્રયત્નથી આયોજન કરવામાં આવ્યું હતું અને સામાજિક સમરસતા નિર્માણ કરવા સૌ સંકલ્પ બદ્ધ થયા હતા.

(7:10 pm IST)