ગુજરાત
News of Thursday, 27th January 2022

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું - નરેશભાઈ પટેલ સહિતના સામાજિક નેતાઓ સાથે હાલ ચર્ચા ચાલુ

સામાજિક નેતાઓ અને કોંગ્રેસ એક બીજાના સંપર્કમાં છે અને જરૂર પડે કોંગ્રેસ પન્નાઓ ખોલશે

અમદાવાદ : ગુજરાતમાં કોંગ્રેસે 2022 વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના નેતાઓ સમાજમાં પ્રભુત્વ ધરાવતા નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે આજે પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ ખોડલધામના નરેશભાઈ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટેનું આમંત્રણ આપ્યું છે. રઘુ શર્માના નિવેદન પછી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે નરેશભાઈ પટેલ અંગે મોટું નિવેદન આપ્યું છે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ નરેશભાઈ પટેલ અંગે નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, નરેશભાઈ પટેલ સહિતના સામાજિક નેતાઓ સાથે હાલ ચર્ચા ચાલી રહી છે. સામાજિક નેતાઓ અને કોંગ્રેસ એક બીજાના સંપર્કમાં છે અને જરૂર પડે કોંગ્રેસ પન્નાઓ ખોલશે. જગદીશ ઠાકોરે આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યું જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અમદાવાદની મુલાકાતે આવ્યા છે

(9:19 pm IST)