News of Thursday, 27th January 2022
નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા શહેરમાં ૦૨ કેસ નોંધાયેલ છે ,નાંદોદ તાલુકામાં ૦૨, ગરુડેશ્વર તાલુકામાં ૦૫, દેડીયાપાડા તાલુકામાં ૦૧, સાગબારા તાલુકામાં ૦૩ તથા તિલકવાડા તાલુકામાં ૦૦ કેસ નોંધાયેલ છે. નર્મદા જિલ્લામાં આજે કુલ ૧૩ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ દાખલ નથી,કોવિડ કેર સેન્ટર માં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૨૮૮ દર્દી દાખલ છે. આજે વધુ ૧૦૧૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે.
(7:58 pm IST)