ગુજરાત
News of Wednesday, 27th January 2021

આંકલાવના જોષીકૂવા સાંજના સુમારે પાનની દુકાને તમાકુ લેવા જવા જેવી નજીવી બાબતે તકરાર થતા સામસામે હુમલો

આંકલાવ:તાલુકના જોષીકૂવા ગામે ગઈકાલે સાંજના સુમારે પાનના ગલ્લે તમાકુ લેવા જવાની બાબતે તકરાર થતાં બેને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. અંગે પોલીસે એટ્રોસીટી અને મારામારીના ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

જોષીકૂવા ગામે રહેતા રમેશભાઈ શનાભાઈ હરિજને આંકલાવ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે વિપુલભાઈ રણછોડભાઈ ઠાકોરના પાનના ગલ્લે મિરાજ તમાકુ લેવા માટે ગયા હતા. જ્યાં વિપુલભાઈએ તને બહુ ઉતાવળ છે તેમ જણાવીને અપમાનિત ભાષાનો પ્રયોગ કરીને ગમે તેવી ગાળો બોલી હતી. ત્યારબાદ તેમના માતા-પિતાએ વચ્ચે પડીને સમજાવવાનો પ્રયાસ કરતાં ધક્કો મારીને ઈજાઓ પહોંચાડી હતી.

(5:34 pm IST)