ચાઈનામાં ફસાયેલ 100 ગુજરાતી યુવાનો સહીત ભારતના 300 વિદ્યાર્થીઓ પ્રત્યે મુખ્યમંત્રી રૂપાણી ચિંતિત :વિદેશમંત્રી એસ,જયશંકર સાથે ટેલિફોનિક ચર્ચા
સંવેદનશીલ સીએમએ વિદેશમંત્રીને સમગ્ર મામલે દરમિયાનગીરી કરવા અનુરોધ કર્યો
અમદાવાદ : મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ ચાયનામાં કોરોના વાયરસને કારણે સર્જાયેલી સ્થિતિમાં ફસાયેલા 100 ગુજરાતી યુવાનો સહિત ભારતના 300 યુવા વિદ્યાર્થીઓની આરોગ્ય સલામતી અને સુરક્ષા તેમજ તેમને વતન પરત લાવવાની જરૂરી વ્યવસ્થાઓ તત્કાળ હાથ ધરવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ટેલીફોનીક વાત ચીત કરી હતી
વિજય ભાઈ રૂપાણીને ગુજરાતના મૂળ વતની અને ચાયનામાં મેડિકલ વિદ્યા શાખામાં અભ્યાસ કરતા યુવા વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બાળકોના સ્વાસ્થ્ય અંગે કરેલી ચિંતાનો સંવેદના સ્પર્શી ત્વરિત પ્રતિસાદ આપી મુખ્યમંત્રીએ તાત્કાલિક વિદેશ મંત્રીને વાત કરી આ સમગ્ર મામલે દરમ્યાન થવા અનુરોધ કર્યો છે
પ્રધાન મંત્રીએ પણ આ વિષયે ચિંતા વ્યક્ત કરી વિદેશ મંત્રાલય ને દરમ્યાન થવા અને જરૂરી મદદ માટે સૂચના આપી છે