શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિમાં સોની શશીકાંતભાઈ પાટડીયાની નિયુક્તિ
શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના મેનેજીંગ ટ્રસ્ટી શશીકાંતભાઇ પાટડીયા (વડોદરા) ની વરણીથી હર્ષની હેલી
અમદાવાદ : .શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર અયોધ્યા ક્ષેત્ર,અયોધ્યા મુકામે કરોડો હિંદુઓના આસ્થા સમાન શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણ કાર્યનો શુભારંભ થઇ ચુક્યો છે.
સદીઓનો સંઘર્ષ અને સમગ્ર હિંદુઓના સ્વાભિમાનના આસ્થાના પ્રતિક સમાન શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણ કાર્યમાં ભારતભરના અગર સાધુ સંતોના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિની સ્થાપના કરવામાં આવી છે
સરસંઘ સંચાલકના(આર એસ એસ) ગુજરાતના અગ્રણી ભરતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રતિષ્ઠિત આગેવાનોનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાંથી તમામ સોની જ્ઞાતિમાંથી શ્રીમાળી સોની સમાજના અને બાલ્યકાળથી આર એસ એસ, જનસંઘ તથા ભાજપના અગ્રણી અને શ્રી અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળના પૂર્વ પ્રમુખ અને મેનેજીંગ ટ્રસ્ટી શશીકાંતભાઇ બાબુલાલ પાટડીયા (વડોદરા) ની વરણી કરવામા આવી છે.
શ્રી અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળના મેનેજીંગ ટ્રસ્ટી શશીકાંતભાઈ પાટડીયાની શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિમાં વરણી થતા સમગ્ર શ્રીમાળી સોની સમાજમાં ગર્વ સાથે હર્ષની હેલી છવાઈ છે