ગુજરાત
News of Tuesday, 26th December 2017

રૂપાણી રાજકોટના કાર્યકરોને ન ભૂલ્‍યા : મળવા માટે પહોંચ્‍યા

રાજકોટ : આજે શ્રી વિજય રૂપાણીની શપથવિધિમાં રાજકોટથી સેંકડો કાર્યકરો હાજર રહેલ. શપથવિધિ બાદ કાર્યકરો ગાંધીનગર ઇન્‍ફોસીટી પાસે સ્‍વામિનારાયણ મંદિરમાં મુકામ કરી રહ્યા હતાં તે વખતે મુખ્‍યમંત્રી શ્રી રૂપાણી અત્‍યંત વ્‍યસતતા વચ્‍ચેથી સમય કાઢીને ત્‍યાં પહોંચેલા અને કાર્યકરોની લાગણીને બીરદાવી હતી. કાર્યક્રો પણ મુખ્‍યમંત્રીનો લગાવ જોઇતા પ્રભાવિત થયા હતાં.

(4:46 pm IST)