વડોદરાના માંજલપુરમાં દીવાના કારણોસર આગ ભભુકતા બે ઘરની ઘરવખરી બળીને ખાખ
વડોદરા: શહેર ના માંજલપુર વિસ્તારમાં આજે સવારે બનેલા બનાવોમાં બે મકાનની ઘરવખરી ખાક થઈ ગઈ હતી. માદેવપુરા કુંભારવાડામાં રહેતા જગદીશભાઈ ચૌહાણ ના મકાન માં આજે સવારે દીવો કરતા આગ લાગી હતી. મકાનમાં કોઈ વ્યક્તિ હાજર ન હતી. પરંતુ લાકડાનું પીડિયા વાળું મકાન હોવાને કારણે આગ ઝડપભેર પ્રસરી હતી. બનાવને પગલે સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી તેમજ મકાનના પતરા દૂર કરી આગ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ કાબુમાં આવતી ન હતી જેથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. મકરપુરા જીઆઇડીસી ફાયર બ્રિગેડ આવી ત્યાં સુધીમાં આખું મકાન આગની લપેટમાં આવી ગયું હતું તેમજ પાછળ રહેતા જગદીશભાઈ ના ભાઈ નું મકાન પણ આગમાં લપેટાયું હતું. ફાયર બ્રિગેડે પાછળના મકાન ને બચાવી લીધું હતું.