દરિયાપુરમાં પથ્થરમારા મામલે પોલીસની કાર્યવાહી :50 મહિલાઓ સહિત 150 લોકો સામે નોંધ્યો ગુનો
વીજ ચેંકિગ કરવા ગયેલા આધિકારીઓ પર કર્યો હતો પથ્થરમારો
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વીજ ચેકિંગ માટે જ્યારે ટીમ ગઈ હતી.તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. જેને લઈને પછી પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં ત્યા પહોચ્યો હતો અને પોલીસે આ સમગ્ર મામલે પરિસ્થિતીને કાબૂમાં લીધી હતી. જોકે હવે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આ ઘટનામાં 150 લોકો સામે ગુનો નોંઘ્યો છે. જેમા પોલીસ દ્વારા રાયોટિંગનું કાવતરુ કરીને હુમલો કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથેજ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
દરિયાપુરમાં ગેરકાયદેસર વીજ જોડાણ માટેની તપાસ અર્થે પોલીસ ગઈ હતી. જેમા ટોરન્ટ પાવરના અધિકારીઓ ત્યા ગયા હતા અને તેઓ ચેકીંગ કરી રહ્યા હતા. તે સમયે ટોરન્ટ પાવરના અધિકારી તેમજ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે પછી મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત થયો હતો.