ગુજરાત
News of Friday, 26th November 2021

ગરૂડેશ્વર બજાર ફળિયાના બંધ મકાનમાંથી રોકડા રૂપિયા 1.50 લાખની ચોરી થતા ગુનો દાખલ

ગરુડેશ્વર ગામના ખેડૂત બાળકોની સ્કૂલ ખુલતા મકાનને તાળું મારી ભરૂચ જતા તસ્કરો હાથ સાફ કરી ગયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરડેશ્વર ના એક બંધ મકાનમાંથી દોઢ લાખ રૂપિયા રોકડ ની ચોરી થતા માલીકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ અતુલભાઈ છ્ગનભાઈ પટેલનાઓએ આપેલી ફરીયાદ અનુસાર તેઓ તેમના બાળકોને સ્કૂલ ચાલુ થતા ભરૂચ મુકવા ગયા હોવાથી તેમના મકાનને તાળું મારી ગયા હોય તે દરમીયા તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી નાંખી કોઈ ચોર ઘરના બેડ રૂમમાં આવેલ લોખંડની તીજોરી તોડી નાંખી તીજોરીના લોકરમાં તેમના માતાએ મુકેલ રોકડ રૂપીયા ૦૧,૫૦,૦૦૦ ની ચોરી કરી પલાયન થઈ જતા ગરડેશ્વર પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:04 pm IST)