બીલીમોરા પરણાવેલી રાજપીપળાની મહિલાને સંતાન નહિ થતા ત્રાસ આપનાર સાસરિયાઓ સામે ફરિયાદ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં રહેતા અને બીલીમોરામાં પરણાવેલી મહિલાને દહેજ અને સંતાન બાબતે ત્રાસ આપતા સાસરિયાઓ વિરુદ્ધ રાજપીપળા મહિલા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળાના સોલંકીવાસ આરબ ટેકરા માં રહેતા મહિલાના લગ્ન સતિષભાઇ કાંતીભાઇ સોલંકી(ઉ,વ,૪૫ ) ( રહે,ઓર્ગેનાઈઝર સોલંકીવાસ બીલીતળાવ, બીલીમોરા જી નવસારી )ખાતે થયા હતા તેમના પતિ અવાર-નવાર કહેતા હતા કે તને સંતાન થતા નથી તુ વાઝણી છે.તેમ કહી મેણા-ટોણા મારી ઝગડો કરતા હતા તેમજ સાસુ-ઉર્મિલાબેન કાંતીભાઇ સોલંકી (૩) જેઠાણી- રેખાબેન અનિલભાઇ સોલંકી (૪) નણંદ-રેખાબેન અલ્પેશભાઇ સોલંકી (૫) નણંદ ચંદનબેન હસમુખભાઇ સોલંકી નાઓ અવાર-નવાર દહેજની માંગણી કરી એક સંપ થઇ ઘરના કામ-કાજ બાબતે ઝગડો કરી ફરીયાદીબેને ને ઘરમાંથી કાઢી મુકી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી એક બીજાની મદદગારી કરી ગુનો કર્યો હોવા બાબતે રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશનમાં પરણીતાની ફરિયાદના આધારે ગુનો દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે