ગુજરાત
News of Thursday, 26th November 2020

નાવરા ખાતે સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, રાજપીપળા દ્વારા સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આયુષ ની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, રાજપીપળા દ્વારા બુધવારે નાંદોદ તાલુકાના નાવરા ગામ ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ (આયુર્વેદ અને હોમીયોપેથી )નુ  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિદાનમાં ૧૭૫ દર્દીઓ ,ઉકાળામાં -૧૮૫, આર્સેનિક આલ્બમ લાભાર્થી ૩૦૦ એ લાભ લીધો હતો જ્યારે ડૉ.અંકિત વસાવા, ડૉ. આકાશ.મારૂ, ડો.ઝરણા પરમાર તથા સ્ટાફ મિત્રોએ આ કેમ્પમાં સેવા આપી હતી.
  આ પ્રસંગે ગામના ડે.સરપંચ જયમિનભાઈ પટેલ,માજી ડે. સરપંચ જશભાઈ પટેલ, હરેશભાઈ પટેલ અને લલિત ભાઈ પરમાર ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.

(11:56 pm IST)