ગુજરાત
News of Thursday, 26th November 2020

રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વિક્રમી નવા 1560 કેસ નોંધાયા : :વધુ 16 લોકોના મોત :વધુ 1302 દર્દીઓ સાજા થતા કુલ 1,85,058 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,,03,509 થયો :મૃત્યુઆંક 3922

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 361 કેસ, સુરતમાં 289 કેસ,વડોદરામાં 180 કેસ,રાજકોટમાં 138 કેસ,ગાંધીનગરમાં 70 કેસ, પાટણમાં 64 કેસ, જામનગરમાં 45 કેસ,બનાસકાંઠામાં 41 કેસ, મહેસાણામાં 40 કેસ, પંચમહાલમાં 29 કેસ, આણંદ અને ખેડામાં 28 -28 કેસ મહીસાગરમાં 26 કેસ,જૂનાગઢમાં 24 કેસ,દાહોદમાં 23 કેસ, ભરૂચ અને કચ્છમાં 21-21 કેસ નોંધાયા : હાલ 14,529 એક્ટિવ કેસ

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે વિક્રમી  1540 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા  1560 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1302 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,03,509 થઇ છે જયારે આજે વધુ 1302 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,85,058 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 16 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 3922 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 90,93 થયો છે

  . રાજ્યમાં હાલ 14,529 એક્ટિવ કેસ છે, જેમાંથી 92 વેન્ટિલેટર પર જ્યારે 14,439 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે સૌથી વધુ 70,820 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં 75,51,609 ટેસ્ટ કરવામાં આવ્યા છે,

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં  12,સુરત કોર્પોરેશનમાં 3અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળીને કુલ 16 લોકોના મોત થયા છે

રાજ્યમાં આજે નોંધાયેલા વિક્રમી 1560 નવા કેસમા સૌથી વધુ અમદાવાદમાં 361 કેસ, સુરતમાં 289 કેસ,વડોદરામાં 180 કેસ,રાજકોટમાં 138 કેસ,ગાંધીનગરમાં 70 કેસ, પાટણમાં 64 કેસ, જામનગરમાં 45 કેસ,બનાસકાંઠામાં 41 કેસ, મહેસાણામાં 40 કેસ, પંચમહાલમાં 29 કેસ, આણંદ અને ખેડામાં 28 -28 કેસ મહીસાગરમાં 26 કેસ,જૂનાગઢમાં 24 કેસ,દાહોદમાં 23 કેસ, ભરૂચ અને કચ્છમાં 21-21 કેસ નોંધાયા છે

(7:56 pm IST)