ગુજરાત
News of Thursday, 26th November 2020

વડોદરાના ભાયલીમાં અગમ્ય કારણોસર 35 વર્ષીય શખ્સે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા: શહેરના ભાયલીમાં ૩૫ વર્ષના યુવાને ઘરના સભ્યો પોર દર્શને કરવા ગયા ત્યારે રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

અંગેની વિગત એવી છે કે ભાયલીમાં આંબેડકરનગરમાં રહેતો ચેતન ગોરધન માળી છૂટક ફૂલનો વેપાર કરે છે. તેના લગ્ન થયા છે અને સંતાનમાં  બે પુત્રીઓ છે. હાલમાં તેની પત્ની ફરી ગર્ભવતી થતા પિયરમાં ગઇ છે. ગઇ કાલે સવારે તેના પરિવારજનો પોર ખાતે બળિયાદેવ મંદિરે દર્શને ગયા હતાં. ચેતનને તેના પિતાએ દર્શન કરવા માટે ખૂબ આગ્રહ કર્યો છતાં તે પોર ગયો હતો.

બપોર બાદ પરિવારના સભ્યો ભાયલી પરત ફર્યા ત્યારે ચેતને ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરેલી લાશ જોવા મળી હતી. અંગે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૃ કરી છે. જો કે ચેતને ક્યાં સંજોગોમાં આત્મહત્યા કરી તે અંગે હજી રહસ્ય છે.

(6:05 pm IST)