અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક: વોનેટેડ બુટલેગરને પકડવા ગયેલ પોલીસ પર જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ
અમદાવાદ: શહેરમાં આસામાજિક તત્વોને પોલીસનો ડર જ ના રહ્યો હોય તેમ જાહેરમાં પોલીસ પર હુમલા કરી રહ્યા છે, નિકોલમાં વોન્ટેડ બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ કેસની વિગત ે એવી છે કે નિકોલ વિસ્તારમાં હરિદર્શન સોસાયટી પાસે આશિર્વાદ સોસાયટીમાં રહેતા અને દારુના કેસમાં વોન્ટડ સત્યપ્રકાશ ઉર્ફે બાબુ મેવારામ સોનીને પકડવા માટે પાંચ પોલીસને ટીમ ગઇ હતી.
જ્યાં ગઇકાલે સાંજે આરોપીને નિકોલ વિસ્તારમાં હરિદર્શન સોસાયટી પાસે રોકવા માટે પ્રયાસ કર્યો હતો જેથી આરોપીએ પોલીસને પડકર ફેકીને કહ્યું કે તું કોણ મને પકડવાવાળો કહીને પોલીસ ઉપર હુમલો કરીને નાસી ગયો હતો. જો કે પોલીસે પીછો કર્યો હતો અને અન્ય આરોપીની કારમાં બેસવા જતાં પોલીસે તેને ઝડપી પાડયો હતો, જો કે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે બન્ને આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.