કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થતા નર્મદાના વાંદરી ગામમાં શોક વ્યકત કરી શ્રધાંજલિ અપાઈ
ગ્રામજનોએ આજે એક દિવસનો શોક જાહેર કરી શ્રદ્ધાંજલિ આપી
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થયું છે.અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનામાં ચેપ લાગ્યો હોય એ પછી તેમની સારવાર ચાલી રહી હતી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કર્યું હતું જેમાં આ બાબતે જાણ કરાઈ હતી.
અહમદ પટેલની ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.આ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હોય નર્મદા જિલ્લાના વાંદરી ગામ કે જ્યાં આદિવાસીઓની દયનિય સ્થિતિ હતી એ ગામને રાજ્ય સભાના સાંસદ અહેમદભાઈ પટેલે દત્તક લઈ ગામનો વિકાસ કર્યો હતો ત્યારે આજે અહેમદ પટેલના નિધનની વાત સાંભળતા જ ગામમાં શોકનું મોજું ફરી વળતા ગ્રામજનોએ આજે એક દિવસનો શોક જાહેર કરી શ્રદ્ધાંજલિ આપી છે એમની ખોટ આ ગામમાં કાયમ વર્તાશે તેવી વાત કરી હતી.