ગુજરાત
News of Thursday, 26th November 2020

બોડેલીના કોસીંદ્રા ગામ સજ્જડ બંધ :કોરોના કેસ વધતા પાંચ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

ત્રણ જેટલા કોરોનાના શંકાસ્પદ દર્દીનુ મોત થતા ગામમાં ભયનો માહોલ

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામે પણ કોરોના ના કેસો વધતા સ્વૈચ્છીક લોક ડાઉન જાહેર કરવામા આવતા કોસિન્દ્રા ગામ સજજડ બંધ જોવા મળ્યુ .હતું

અહી દશ થી પંદર જેટલા કોરોના પોઝિટીવ દર્દી ખાનગી હોસ્પિટલો મા સારવાર લઇ રહ્યા છે તો બીજી તરફ ત્રણ જેટલા કોરોનાના શંકાસ્પદ દર્દીનુ મોત થતા કોસિન્દ્રા ગામના ગ્રામજનોમા ભયનો માહોલ જોવા મળતા પાચ દીવસનુ લોકડાઉન જાહેર કરાતા બોડેલી તાલુકાનુ નાનું એવું કોસીન્દ્રા ગામ સજજડ બંધ જોવા મળ્યુ હતુ .

(11:20 pm IST)