પી.એલ. શર્માની બદલી : ચીફ ટાઉન પ્લાનરનો હવાલો પ્રથમ વખત આઇ.એ.એસ. અધિકારી બિજલ શાહને
જી.બી. બ્રહ્મભટ્ટની પ્રવાસન નિગમના સંયુકત એમ.ડી. તરીકે નિમણૂક
ગાંધીનગર, તા. ર૬ : ગાંધીનગર જિલ્લાના બે મહત્વના અધિકારીઓની બદલીના હુકમો ગઇ મોડી સાંજે કરવામાં આવ્યા છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.બી. બ્રહ્મભટ્ટની બદલી કરી ગુજરાત પ્રવાસન નિગમનના જોઇન્ટ મેનેજીંગ ડીરેકટર તરીકે મૂકવામાં આવ્યા છે.
ઉપરાંત મહત્વની બાબત એ છે કે ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવું બન્યું છે કે, ટાઉન પ્લાનીંગ (સીટીપી)ની જગ્યા ટેકનિકલ બાબત સાથે સંકળાયેલ છે. આ જગ્યાના અધિકારી પી.એલ. શર્માની બદલી કરી જી.આઇ.ડી.બીમાં મૂકવામાં આવ્યા. જયારે રજીસ્ટાર કો-ઓ.ની જગ્યાએ ફરજ બજાવતા સનદી અધિકારી બી.એ. શાહને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો, આમ પ્રથમ વખત ટાઉન પ્લાનીંગની જગ્યા પર સનદી અધિકારીને મૂકવામાં આવ્યા.
આ હુકમો સરકારે કરતા ગુજરાતના તમામ જીલ્લાઓમાં નગર નિયોજકની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી-અધિકારીઓમાંચર્ચાનો મુદ્દો બનવા પામ્યો છે.