ગુજરાત
News of Tuesday, 26th October 2021

વડોદરા:ડ્રાઈવરની નોકરી છોડીને અન્ય સ્થળે નોકરી કરનાર શખ્સ પર હુમલો કરનાર વિરુદ્ધ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરનાવાઘોડિયારોડ રામવાટિકા પાસે રાધિકાભવનમાં રહેતા સુરેન્દ્ર શ્રીસીતારામ તિવારીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું રાધિકાભવનમાં બેન્કવેટ સુપરવાઇઝર તરીકે નોકરી કરૃ છું.અગાઉ હું  પ્રજ્ઞોશ જોશીની ત્યાં ડ્રાયવર તરીકે નોકરી કરતો  હતો.પણ લોકડાઉનમાં હું વતન જતો રહ્યો હતો.ત્યારબાદ પરત આવીને મેં રાધિકાભવનમાં નોકરી શરૃ કરી હતી.ગત તા.૨૪ મી એ સાંજના સવા ચાર વાગ્યે હું મારૃં સ્કૂટર લઇને રાધિકાભવનનો સામાન લેવા માટે ઉમા ચાર  રસ્તા પાસે આવેલ માં કેટરર્સમાં ગયો હતો.અને કરિયાણાનો સામાન લઇને પરત રાધિકાભવન જઇ  રહ્યો હતો.ત્યારે પ્રજ્ઞોશ ઉર્ફે પકો જોશી (રહે.માતૃ પિતૃ છાયા જગન્નાથ ફ્લેટની બાજુમાં ) બાઇક લઇને આવ્યો હતો.તે મને  કહેવા લાગ્યો હતો કે,તું મારી ત્યાં નોકરી નહીં કરે તો તને બીજે  પણ નોકરી કરવા દઉં નહી.પરંતુ,મેં મારૃં સ્કૂટર રોક્યુ નહતું.તેણે ઓવરટેક કરીને મને રોક્યો હતો.અને ખિસ્સામાંથી ચપ્પુ કાઢી અને ધમકી આપી હતી કે,એક અઠવાડિયામાં વડોદરા છોડી દેજે નહીંતર તને જાનથી મારી નાંખીશ.ત્યારબાદ તેણે ચપ્પુ ખિસ્સામાં મુકી દીધુ હતું.અને મને મોઢા તથા કમરના ભાગે માર માર્યો હતો.

જ્યારે અન્ય એક બનાવમાં કીર્તિસ્થંભ પાસે ચાની લારી ચલાવતા પ્રકાશ ભગવાનદાસ શાહ (રહે.શિવમ  રેસિડેન્સી,હાથીપોળ) પર ગઇકાલે સાંજ ે પોણા પાંચ વાગ્યે અજાણ્યા હુમલાખોરે  પાઇપથી  હુમલો કર્યો હતો.જે અંગે નવાપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાઇ છે.

 

(5:18 pm IST)