ગુજરાત
News of Tuesday, 26th October 2021

વડોદરા :પતિના અવસાન બાદ એકલતાથી કંટાળેલ 77 વર્ષીય વૃદ્ધાએ ફાંસો ખાઈ મોતનેવહાલુ કરતા ચકચાર

વડોદરા: શહેરમાંપતિના અવસાન પછી એકલતાથી કંટાળીને ૭૭ વર્ષની વૃદ્ધાએ ગતરાતે ઘરે દુપટ્ટા વડે ફાંસો ખાઇ લેતા તેમનું મોત નિપજ્યું છે.જે અંગે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુભાનપુરા બાલાજી હોસ્પિટલની બાજુમાં એવરેસ્ટ સોસાયટીમાં રહેતા માલાબેન ચંદરભાઇ ટિનાણી (ઉ.વ.૭૭) ના પતિનું ૧૦ વર્ષ પહેલા અવસાન થયુ હતું.તેઓ હાલમાં દીકરી જમાઇ સાથે રહે છે.ગતરાતે તેઓ જમી પરવારીને ઊંઘી  ગયા હતા.સવારે તેમની દીકરી ઉઠાડવા ગઇ ત્યારે જોયુ તો માલાબેને ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે ગોરવા  પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,આજવારોડ ચામુંડાનગર-૧ માં રહેતા ભારતીબેન પરસોત્તમભાઇ  પ્રજાપતિ (ઉ.વ.૫૬) દીકરી જમાઇ સાથે રહેતા હતા.તેમની બીમારીની સારવાર ચાલતી હતી.દરમિયાન ગઇકાલે રાતે તેઓ ઘરમાં જ પડી જતા બેભાન થઇ ગયા હતા.તેમનો જમાઇ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ  ગયો હતો.જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર ભારતીબેનનું મોત કુદરતી રીતે થયું છે.

(5:16 pm IST)