ગુજરાત
News of Tuesday, 26th October 2021

શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પૂ. મોરારીબાપુની મુલાકાતે

ભાવનગરમાં આવાસ યોજનાનું લોકાર્પણ કરશે : પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૬ : દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અગામી તા. ૨૯ના રોજ ભાવનગરની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ મહુવા મોરારીબાપુની પણ મુલાકાત લેનાર છે.

મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા. ૨૯ના ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે. તેઓ સવારે ભાવનગર એરપોર્ટ ખાતે પધારી ૧૧ વાગ્યાની આસપાસ મહુવા ખાતે મોરારીબાપુની મુલાકાત લેનાર છે અને તેઓ બપોર બાદ ભાવનગર ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ પણ કરવાના છે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઇ તંત્ર દ્વારા બંદોબસ્ત સહિતની તૈયારી ચાલી રહી છે.(

(11:39 am IST)