ગુજરાત
News of Thursday, 26th September 2019

અમદાવાદમાં પરણિતાએ છૂટાછેડા લીધા વિના પ્રેમી સાથે ભાગીને કર્યા લગ્ન : પતિ-પત્ની અને પ્રેમી ત્રણેય પરિવારો પોલીસ સ્ટેશને

પત્ની પોતાના પ્રેમી સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ : પતિએ કહ્યું કે પહેલાથી પરિણીત હોવાથી આ લગ્ન માન્ય નથી

 

અમદાવાદ: અમદાવાદમાં એક પરણીતાએ પતિ સાથે છૂટાછેડા લીધા વિના પોતાના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લેતા ચકચાર મચી જવા પામી છે શહેરના શહેરકોટડા વિસ્તારમાં રહેતી અને ખાનગી હોસ્પીટલમાં નોકરી કરતી એક પરિણીત યુવતીને પ્રેમ થઈ જતા તે પોતાના પ્રેમી સાથે આશરે 10 દિવસ પહેલા ભાગી ગઈ હતી. . કૃષ્ણનગર વિસ્તારમાં બનેલો કિસ્સો હાલ ચર્ચાનો વિષય છેત્રણ પક્ષોના લોકો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે યુવતી એક ખાનગી હૉસ્પિટલમાં નોકરી કરતી હતી. અને તેની હૉસ્પિટલની પાસે એક મોબાઈલ રિપેરિંગની દુકાનમાં બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. ત્રણ વર્ષ પહેલા લગ્ન કરેલા યુવતીએ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ અને જેને લઈ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી.

પરિણીત યુવતી અને તેનો પ્રેમીએ ખોટી રીતે દાખલાઓ આપી લગ્ન કર્યા હશે જેથી બન્ને સામે ખોટી રીતે દાખલો આપી છેતરપિંડી કરવાનો ગુનો દાખલ થઈ શકે છે. હાલ તો પતિ-પત્ની અને પ્રેમી ત્રણેયના પરિવારજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં હાજર છે અને પોલીસે તેમની પૂછપરછ કરી રહી છે.

કૃષ્ણનગર વિસ્તારમાંથી ભાગી ગયેલી આ પરિણીત યુવતીના ઑડિટર પતિએ ગુમ થયાની અરજી આપી હતી કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે. પરંતુ પતિને ખ્યાલ હતો કે તેની પત્ની કોઈ અન્ય યુવક સાથે ભાગી ગઈ છે. જેથી તેને પોલીસ તપાસમાં મદદ કરી અને પત્ની પોતાના પ્રેમી સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. ત્યારે પતિએ વિરોધ કરતા કહ્યું કે પહેલાથી પરિણીત હોવાથી આ લગ્ન માન્ય નથી.

(10:58 pm IST)