News of Wednesday, 26th September 2018
સુરતના પાંડેસરામાં દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ સાથે મહિલાઓની રેલી
વિનીતા વિશ્રામથી કમિશનર કચેરી સુધીની રેલીમાં પાંચસોથી વધુ મહિલા-બાળકો જોડાયા :પોલીસ કમિશનરને કરી રજૂઆત
સુરતના પાંડેસરા વિસ્તારમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા નાગસેન નગરના રહેવાસીઓ દ્વારા વનિતા વિશ્રામથી કમિશનર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પાંચસોથી વધુ સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા.અને પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે
આ રેલીમાં જે મહિલાના પતિ,પિતા ભાઈનું દારૂના કારણે મૃત્યુ થયું તે મહિલાઓ પણ જોડાઈ હતી.મહિલાઓ આક્ષેપ કર્યો હતો કે પાંડેસરા નાગસેન નગરમાં બુટલેગરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આ અંગે પોલીસને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યાં નથી.
(7:08 pm IST)