ગુજરાત
News of Wednesday, 26th June 2019

વડોદરામાં વ્યસન મુક્તિ દિનની ઉજવણી પૂર્વે પોલીસે ટ્રેનમાં વ્યાપક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

વડોદરા:આંતરરાષ્ટ્રિય વ્યસન મુક્તિ દિનની ઉજવણી પૂર્વે રાજ્યભરમાં નાર્કોટિક્સના કેસ કરવાની સૂચનાને પગલે રેલવે તંત્ર પણ એલર્ટ બન્યુ છે અને ટ્રેનોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

રેલવે પોલીસમાં એસઓજીના ૩૦ માણસોની ખાસ ટીમ દ્વારા ઓરિસ્સા તેમજ દક્ષિણ ભારત તરફથી આવતી કુલ 9 ટ્રેનોમાં સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. લાંબા અંતરની ટ્રેનોમાં ગાંજા સહિત નશાવાળા પદાર્થોની હેરાફેરી રોકવા માટે વાપી અને વ્યારાથી અમદાવાદ સુધી ટ્રેનોમાં પેટ્રોલિંગ શરૃ કરવામાં આવ્યું છે.

(5:31 pm IST)