આણંદના ભાલેજ ઓવરબ્રિજ નજીક મધ્યરાત્રીના સુમારે યુવાન પર તલવારથી જીવલેણ હુમલો થતા અરેરાટી
આણંદ:શહેરના ભાલેજ ઓવરબ્રીજ પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે એવીયેટર લઈને ઘર તરફ જઈ રહેલા એક યુવાન પર ત્રણ શખ્સોએ તલવાર, ચપ્પાથી હુમલો કરીને જીવલેણ ઈજાઓ પહોંચાડતા આ અંગે આણંદ શહેર પોલીસે મહાવ્યથાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આણંદના ઈસ્માઈલનગરમાં આવેલી ઉમરીનગરમાં સાહિલ લીયાકત સૈયદ ગઈકાલે રાત્રીના સુમારે ડો. મહેન્દ્ર શાહની સામે આવેલા પાનના ગલ્લે સીગારેટ પીવા માટે ગયો હતો જ્યાં સોહિલ ઉર્ફે સલમાન ચાંદભાઈ ખાટકી, ઈરફાન ઉર્ફે પપ્પુ રફીકભાઈ શેખ અને આરીફ યુસુફભાઈ મલેકે તેને બીભત્સ ભાષામાં વાત કરતા તુ અહીંયા કેમ આવ્યો છું તેમ જણાવીને ઝઘડો કર્યો હતો. જો કે વધારે માથાકુટ થાય તે પહેલાં સાહિલ ત્યાંથી સામે આવેલી ડો. મહેન્દ્ર શાહની હોસ્પિટલ પાસે જતો રહ્યો હતો.