ગુજરાત
News of Wednesday, 26th June 2019

વરસાદી માહોલમાં ગોધરાના ભૂરાવાવમાં રસ્તાની ગંદકી વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબુર

પ્રાથમિક શાળા જર્જરીત હોવાને કારણે શિક્ષણ વિભાગે બંધ કરી દીધી

ગોધરાના ભુરાવાવ ખાતે આવેલી શાળાના વિદ્યાર્થીઓ વરસાદી માહોલમાં રસ્તા પરની ગંદકી વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. પ્રાથમિક શાળા જર્જરીત હોવાને કારણે શિક્ષણ વિભાગે બંધ કરી છે અને એસઆરપી ખાતે શિફ્ટ કરીને શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અને છેલ્લા પંદર દિવસથી વિદ્યાર્થીઓ તંબુ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. શાળા અન્યત્ર સ્થળે ખસેડવા સામે વાલીઓ વિરોધ કરી રહ્યા છે.અને તંત્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે

(11:43 am IST)