ગુજરાત
News of Friday, 26th May 2023

સુરત દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વરે કહ્યુ-લોકો સંગઠિત થતા રહ્યા તો પાકિસ્તાનને પણ બનાવી દઈશ હિંદુ રાષ્ટ્ર

બાગેશ્વર સરકારે ગુજરાતની જનતાને કહ્યું કે જ્યાં સુધી સનાતન ધર્મ માટે હું તમને જગાડીશ નહીં ત્યાં સુધી ગુજરાતનો પીછો નહીં છોડુ

સુરત : બાબા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં આયોજીત દરબારમાં ભવ્ય સ્વાગત થયું છે, બાબાને સાંભળવા માટે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. બાબાને મળવા માટે લોકોનો ઉત્સાહ ક્યાંય સમાતો નથી. ધીરેન્દ્ર શાસ્ત્રી પીઠ પર બિરાજમાન થતાની સાથે જ ગુજરાત અને ગુજરાતીના વખાણ કર્યા. એટલુ જ નહીં પણ બાગેશ્વર સરકારે દરબારની શરૂઆત હિન્દુ રાષ્ટ્રના ઉલ્લેખ સાથે કરી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું જો ગુજરાતના લોકો આવી રીતે સંગઠીત થતા ગયા તો ભારત તો શું અમે પાકિસ્તાન પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું

 

બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિરોધીઓને પડકાર પણ ફેંક્યો.પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જે સાધુ-સંતો પર તેમની શક્તિ પર સવાલ ઉઠાવે છે તે એક વખત આવે બાગેશ્વર દરબારમાં. બાગેશ્વર સરકારે ગુજરાતની જનતાને કહ્યું કે જ્યાં સુધી સનાતન ધર્મ માટે હું તમને જગાડીશ નહીં ત્યાં સુધી ગુજરાતનો પીછો નહીં છોડુ.

બાબા બાગેશ્વર સરકારે સુરતથી ભૂમિ પરથી ગુજરાતી અને ગુજરાતી ભાષાના ભરપેટ વખાણ કર્યા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે વિશ્વમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં ગુજરાતી ન પહોંચ્યો હોય. તો બાબાએ ગુજરાતી ભાષાના પણ વખાણ કર્ય હતા 

(8:47 pm IST)