રાજપીપળામાં સાંસદ મનસુખભાઇના હસ્તે કાળિયાભૂત મંદિરથી કોર્ટે સુધીના ડામર રોડનું ખાતમુૂર્ત થશે
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં હાલ લાંબા સમયથી વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં રસ્તા ખોદાઈ જતા ગ્રામજનોમાં નારાજગી હતી પરંતુ હવે આ નારાજગી ટુંક સમયમાં દૂર થશે આવતીકાલે રાજપીપળાના કાળિયા ભૂત મંદિરથી કોર્ટે સંકુલ સુધીના ડામર રોડનું ખાતમુહૂર્ત સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે ખાતમુૂર્ત થનાર છે જેમાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ ચીફ ઓફિસર,નગરપાલીકા સદસ્યો સહિતનાઓ ઉપસ્થિત રહેશે.
આ બાબતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહએ જણાવ્યું કે ઘણા સમયથી નગરજનો રસ્તા બને તેવી રાહ જોઈ રહ્યા હતા પરંતું ગેસ લાઈન,ભૂગર્ભ ગટર સહિતના કામો ચાલતા હોવાથી રસ્તાનું કામ થયું ન હતું હાલમાં જ્યાં જ્યાં આ કામો પૂર્ણ થયા છે ત્યાં રોડનું કામ શરૂ થશે જેમાં આવતીકાલે કાળિયાભૂત મંદિરથી કોર્ટે તરફના માર્ગનું કામ ચાલુ થશે. ત્યારબાદ અન્ય માર્ગો પણ બનશે