ગુજરાત
News of Tuesday, 26th May 2020

રાત્રે રાજ્યના ત્રણ આઇપીએસ અધિકારીની બદલી : રાજકોટના ડીસીપી ઝોન -1 રવિ સૈનીની પોરબંદર ટ્રાન્સફર : મહેસાણા એસપી મનીષસિંઘની બદલી : પોરબંદરના એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલને મહેસાણા મુકાયા

અમદાવાદ : રાત્રે રાજ્યના ત્રણ આઇપીએસ અધિકારીની બદલીના હુકમો થયા છે જેમાં મહેસાણા એસપી  મનિષ સિંઘની બદલી કરાઈ છે તેઓની બદલી થતા કડી દારૂકાંડના કારણે બદલી થયાની ચર્ચા જાગી છે દાહોદ SRPF ગ્રૂપ 4 ખાતે મનિષ સિંઘની બદલી  કરાઈ છે જયારે પોરબંદર  એસપી ડો, પાર્થરાજસિંહ ગોહિલની મહેસાણા બદલી કરાઈ છે જે મનીષસિંઘના સ્થાને ચાર્જ સાંભળશે અને

રાજકોટ ડીસીપી ઝોન 1, રવિ મોહન સૈનીની પણ બદલી કરાઈ છે  ડો. રવિમોહન સૈની પોરબંદરના એસપી બન્યા છે

(11:51 pm IST)