અમદાવાદમાં દોઢ વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો :સગીર સહીત બે શખ્શોની ધરપકડ
સગીરે ગુસ્સામા યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી.
અમદાવાદમા દોઢ વર્ષ પહેલા થયેલી યુવાનની હત્યા થઈ હતી. એક સગીરે ગુસ્સામા યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી. અત્યાર સુધી આ હત્યાનો ભેદ ઉકેલાયો ન હતો પરંતુ હાલ ખોખરા પોલીસે હત્યા કરનાર સગીર સહિત બે વ્યકિતની ધરપકડ કરી છે અને સાથે સાથે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરીની શોધખોળ શરૂ કરી છે.
ખોખરામાં રહેતો 26 વર્ષીય ગૌરાંગ મકવાણા નામનો યુવાન હાટકેશ્વર બ્રિજ નીચેથી પસાર થઈ રહયો હતો ત્યારે હત્યારો તેનો મિત્ર વિજય વણકર સાથે ગૌરાંગ પોતાના મોબાઈલમાં ખોવાયેલા હતા. મેસેજ વાંચી રહયા હતા. આ દરમ્યાન બન્ને એકબીજા સાથે ટકરાયા. ગૌરાંગે કહયુ જોઈને ચાલ આવી નજીવી વાત પર બન્ને વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડો એટલો ઉગ્ર હતો કે સગીરે તેની પાસે રહેલી છરી ગૌરાંગને ઝીંકી દીધી. જેના કારણે ગૌરાંગનુ મોત નિપજયુ હતું.