ગુજરાત
News of Monday, 27th May 2019

અમદાવાદ ફાયર વિભાગ 81 મીટરની ઈમારત સુધી જઈ શકે:કમિશનર વિજય નહેરા

મહાપાલિકાની ટીમ દ્વારા છ મહિનાથી ફાયર સેફ્ટી અંગે કાર્યવાહીચાલુ

સુરતમાં અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ મહાપાલિકા પણ હરકતમાં આવી ગયું છે. અમદાવાદ મહાનગર પાલિકામાં બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો. મહાપાલિકા કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, આગની ઘટનાઓને લઈને ફાયર વિભાગ સક્રિય છે. અમદાવાદમાં 81 મીટરની ઈમારત સુધી જઈ શકે તેવા ફાયર વિભાગો પાસે છે. મહાપાલિકાની ટીમ છ મહિનાથી ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી કરી રહી છે અને બેદરકારો સામે પગલાં પણ ભરાઈ રહ્યા છે.

(11:53 pm IST)