ગુજરાત
News of Sunday, 26th May 2019

વડાપ્રધાન મોદીએ અમદાવાદ ખાનપુર ભાજપ કાર્યાલયમાંથી રાજકીય કારકિર્દી શરૂ કરેલ

અમદાવાદ : આજે સાંજે અમદાવાદ આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખાનપુરમાં ભાજપ કાર્યાલયમાં જનસભા સંબોધશે.

ખાનપુરમાં ભાજપ કાર્યાલય ખાતે આવવાનું કારણ પત્રકારોએ પુછતા જણાવેલ કે વડાપ્રધાને તેની કારકિર્દીની શરૂઆત ભાજપ ખાનપુર કાર્યાલયથી ચાલુ કરેલ.

ખાનપુરમાં જે.પી. ચોક ખાતે જાહેર સભાને સંબોધશે ભાજપ કાર્યલયમાં વડાપ્રધાને સભ્યપદ સ્વીકારી કાર્યાલયથી વહીવટી કામગીરી સંભાળતા હોય. આ બાબતે ૪૦ વર્ષ પહેલાની હોવાનું ભાજપના એક વરિષ્ઠ કાર્યકરે જણાવે  અને કહેલ કે ૪૦ વર્ષ પહેલા ભાજપમાં માત્ર રૂ. ૦૦-રપ પૈસાથી સભ્યપદ મેળવનાર વડાપ્રધાન સુધી પહોંચશે તેવી કલ્પના પણ કરી નહોતી.

(2:53 pm IST)