ગુજરાત
News of Saturday, 26th May 2018

આણંદની ગણેશ ચોકડી નજીક રાત્રીના સુમારે અનૈતિક સંબંધને લઈને ત્રણે ઢોર માર માર્યો

આણંદ: શહેરની ગણેશ ચોકડી પાસે આવેલી સ્વસ્તીક વાટીકા નજીક ગત ૨૩મી તારીખના રોજ રાત્રીના સુમારે યુવતીના અનૈતિક સંબંધોને લઈને ત્રણ શખ્સોએ પરિવારના ત્રણ સભ્યોને માર મારતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સ્વસ્તીક વાટીકા પાસે રહેતા પ્રેમીલાબેન અશ્વિનભાઈ ચાવડાના ઘરે જયંતિભાઈ શનાભાઈ ચાવડા, વિપુલભાઈ જીતુભાઈ વાઘેલા અને પ્રવિણભાઈ મોહનભાઈ ચાવડા આવી ચઢ્યા હતા અને જણાવ્યું હતુ કે તમારી ભાણી દિવ્યાબેન આકાશ ઉર્ફે લાલી રમેશભાઈ ગોહલની સાથે સંબંધ રાખે છે અને મોબાઈલ ફોનથી વાતચીત કરે છે તમે કેમ કાંઈ કહેતા નથી. તેમ જણાવીને પ્રેમીલાબેન તથા ઘરના સભ્યો સાથે ઝઘડો કરી ગાળો બોલી હતી.

જયંતિભાઈએ મીનાબેનના માથામાં ધારીયાની ઝાપોટ મારી દીધી હતી જ્યારે વિપુલભાઈએ પ્રેેમીલાબેનને લાકડીથી માર માર્યો હતો. પ્રવિણભાઈએ પણ ગમે તેવી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:33 pm IST)