ગુજરાત
News of Saturday, 26th May 2018

ડીસાની જાગૃતિ હોસ્પિટલમાં પ્રસૂતાનું ડિલિવરી સમયે મોત :ડૉક્ટરની બેદરકારી:પરિવારજનોએ હોબાળો મચાવ્યો

તબીબોની બેદરકારીથી મોત થયાનું જણાવી પરિવારજનોએ હંગામો મચાવતા પોલીસે દોડવું પડ્યું

બનાસકાંઠા: જિલ્લાના ડીસાની જાગૃતિ હોસ્પિટલમાં પ્રસૂતાનું ડિલિવરી વેળાએ મોત થતા ડોક્ટરની બેદકારીથી મોત થયાનો આરોપ મૂકીને પરિવારજનોએ હોસ્પિટલમાં જ હંગામો મચાવ્યો હતો.

  ઘટનાની વિગત મુજબ જાગૃતિ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પ્રસુતાનું ડિલીવરી સમયે મોત થયું હતું. જેને લઈને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરની બેદકરારીના કારણે મહિલાનું મોત થયું છે. જેથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોત જોતમાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી અને પરિવારજનોએ હોસ્પિટલમાં જ હંગામો મચાવ્યો હતો. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  મૃતક મહિલાનું નામ અનિતા ઠાકોર છે. જે ડીસાના વરણ ગામની રહેવાસી છે. જે પોતાની પ્રેગનેન્સી દરમિયાન જાગૃતિ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. ત્યારે તેનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.

(2:19 pm IST)