ગુજરાત
News of Saturday, 26th May 2018

ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનનાં કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ અને ઉપ-મુખ્યમંત્રી નીતિનભાઈના કાર્યક્રમનું વેબકાસ્ટ

અમદાવાદઃ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં સમાજના પ્રથમ હરોળના ૧૦ હજાર ઉદ્યોગપતિઓનું સંગઠન રચવાની જાહેરાત કરાઈ હતી, તેને મૂર્તિમંત કરવા માટે આજે ૨૬મી મેના રોજ વિધિવત્ રીતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનનું લોન્ચિંગ જીએમડીસી કોન્વોકેન્શન હોલ ખાતે કરવામાં આવ્યું. તેની સાથે જ પોર્ટલ તેમજ વેબએપ્લિકેશન પણ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ તેમજ સરદારધામ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીઓ, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. સમાજનો હેતુ નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર થાય તે માટેનો છે. દર એકાંતર વર્ષે પાટીદાર બિઝનેસ સમિટનું પણ આયોજન કરાશે.

(10:43 pm IST)