ગુજરાત
News of Saturday, 26th May 2018

હિંમતનગરના લાલપુરમાં કેરીનો રસ ખાધા બાદ 46ને ફૂડ-પોઇઝનિંગ: આરોગ્ય ટીમે સેમ્પલ લીધા

સામાજિક કાર્યક્રમમાં ભોજન બાદ અસર :સારવાર મારે લઇ જવાયા

 

સાબરકાંઠાઃ હિંમતનગરના લાલપુરમાં એક સામાજિક કાર્યક્રમમાં ભોજન બાદ 46 વ્યક્તિને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ હતી.માહિતી મળતાં આરોગ્ય વિભાગની ટીમો લાલપુરમાં ખાદ્ય પદાર્થનાં સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી હતી અસરગ્રસ્ત પામેલાઓમાંથી કેટલીક વ્યક્તિઓને સારવાર માટે નજીકના સારવાર કેન્દ્ર પર લઈ જવાયા છે.

   મળતી વધુ વિગત મુજબ સાબરકાંઠાના હિંમતનગરના લાલપુર ગામમાં સામાજિક કાર્યક્રમમાં ભોજન બાદ કેટલાકને ઉબકા સાથે ઊલટીઓ થવા માંડી હતી, તો કેટલાકને ઝાડા થઈ ગયા હતા. આરોગ્ય-વિભાગની તપાસમાં અસરગ્રસ્તોએ કેરીનો રસ, પાણીપુરી ખાધા બાદ ઊલટીઓ અને ઝાડાઓ થઈ ગયા હતા. કુલ 46 વ્યક્તિઓને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ હતી.

  આરોગ્ય વિભાગની ટીમે કેરીના રસ,પાણીપુરી વગેરેનાં સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપ્યા છે તેમ આખા વિસ્તારનો સર્વે પણ કર્યો હતો. અસરગ્રસ્તોમાંથી કેટલાકને સારવાર માટે નજીકના સારવાર કે ન્દ્ર પર લઈ જવામાં  આવ્યા છે.

(12:47 am IST)