News of Monday, 26th April 2021
અમદાવાદમાં ચાની લારી, પાનના ગલ્લા અને હવે હેર સલૂન પણ બંધ કરવા આદેશ
કોરોનાનું સંક્રમણ રોકવા હેર સલૂન બંધ રાખવા મનપા દ્વારા આદેશ અપાયો
અમદાવાદમાં કોરોના સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે જેને પગલે ચાની કિતલીઓ અને પાનના ગલ્લા બંધ કરાવ્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હેર સલૂન બંધ કરાવાના આદેશ આપવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ રોકવા હેર સલૂન બંધ રાખવા આદેશ અપાયો છે.
(12:25 pm IST)