ગુજરાત
News of Monday, 26th April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 25 એપ્રિલ સુધી કુલ- 82 દર્દીઓના મોત થતા તમામની વૈષ્ણવ વણિક સમાજ અંતિમવિધિ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થયો છે જેમાં એપ્રિલ મહિનામાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ આંક પણ વધ્યો છે,તારીખ 2 એપ્રિલથી 25 એપ્રિલ સુધીમાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 82 જેટલા દર્દીઓના મોત થયા છે એ બાબત ચિંતાજનક કહી શકાઈ
રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળાના યુવા હોદેદારોએ વિશેષ જવાબદારી સંભાળી હોય આ તમામ 82 જેવા મૃતકોના રાજપીપળાના કોવિડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરાવવામાં આવ્યા હોવાનું વૈષ્ણવ વણિક સમાજના હોદ્દેદાર ગુંજનભાઈ મલાવીયા એ જણાવ્યું હતું.

(11:04 pm IST)