આણંદ: બોરસદ ચોકડી નજીક આડા સંબંધમાં પિતા-પુત્ર પર તલવારથી હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
આણંદ: શહેરની બોરસદ ચોકડી પાસે આવેલા સેન્ટ્રલ વેર હાઉસની પાછળ ગઈકાલે સાંજના સુમારે એક શખ્સે તલવારથી હુમલો કરીને પિતા-પુત્રને માર મારતાં તેમજ સામા પક્ષ પણ એકને તલવારથી માર મારતાં ત્રણેયને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
છુટક સફાઈ કામ કરીને જીવન ગુજરાન ચલાવતા દિનેશભાઈ રતિલાલભાઈ હરિજને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે એકતાનગર ઝુંપડપટ્ટીમાં બેઠા હતા ત્યારે નજીકમાં જ રહેતો કિરણભાઈ સરાણીયા ઉર્ફે છરીવાળો આવી ચઢ્યો હતો અને તેણે કહેલ કે, તે છોકરીને શું આપ્યું છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. જેથી દિનેશભાઈએ ગાળો બોલવાની ના પાડતાં જ ઉશ્કેરાઈ ગયેલા કિરણભાઈ ઘરેથી તલવાર લઈ આવ્યો હતો અને ડાબા હાથના પંજા તથા કોણી નીચે તલવાર મારી દીધી હતી. બુમાબુમ થતાં રતિલાલભાઈ આવી પહોંચ્યા હતા જેમને પણ ડાબા હાથની કોણીના ભાગે તલવાર મારીને અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપીન ેત્યાંથી ફરાર થઈ ગયો હતો