ગુજરાત
News of Friday, 26th April 2019

ઉ. ગુજરાતના સાધુ-સંતોનું પ્રેરણાદાયી પગલું: શહિદોના પરિવાર માટે ૨૨ લાખ આપ્યા

મહેસાણાઃ ઉત્ત્।ર ગુજરાતના સાધુ સંતોએ પુલવામાં હુમલામાં શહીદોના પરિવારજનો માટે લાખો રૂ. આપ્યા છે. મહેસાણાના ભીમનાથ મંદિર પરિસરમાં ઉત્ત્।ર ગુજરાતના સંતોએ પુલાવામાનાં શહિદોના  પરિવારજનો માટે ૨૨ લાખ રૂપિયાનું દાન કર્યુ હતુ.  નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલને ભીમનાથ મંદિરમાં સંતોની હાજરીમાં ડિમાન્ડ ડ્રાફ્ટ આપવામાં આવ્યો હતો.

   ઉત્ત્।ર ગુજરાત વૈષ્ણવ સંત પરિષદ દ્વારા ૫ લાખની રકમ એકત્રિત કરવામાં આવી હતી. જયારે અન્ય સંતો દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમને અર્પણ કરવામાં આવી હતી.

ઉત્ત્।ર ગુજરાતનાં  સંતોએ ૮ લાખ ૯૩ હજાર ૨૪૫ ની રકમ એકત્રિત કરી હતી. જયારે સન્યાસી સંત પરિષદે ૮ લાખ ૨૨ હજાર ૮૦૩ની રકમ એકઠી કરી હતી.

(3:13 pm IST)