વડોદરા-હાલોલ હાઇવે રોડ પરના ટોલ પ્લાઝાની ઓફિસમાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત
આર્થિક કારણોસર પગલું ભર્યાનુ તારણ :સ્યુસાઇટ નોટમાં કોઈને દોષી ઠેરવ્યા નથી
વડોદરા -હાલોલ રોડ પર ટોલ પ્લાઝાની ઓફિસમાં ગળેફાંસો ખાઈને યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી 35 વર્ષનો આ યુવક પરિવાર સાથે હતો અને આર્થિક કારણોસર તેણે આપઘાત કર્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે, જોકે, તેણે લખેલી સ્યુસાઈડ નોટમાં આપઘાત માટે કોઈને દોષી ઠેરવ્યા નથી અને પરિવારને પત્ની તથા બાળકને સાચવવાનું પણ કહ્યું છે.
આ અંગે મળતી વિગત મુજબ શહેરના વાઘોડિયા-આજવા રોડ પર આવેલા સી-403 રૂદ્રાક્ષ બ્લીઝમાં પત્ની ચાંદની અને દોઢ વર્ષના પુત્ર જશ સાથે રહેતો કૃણાલ વિનોદભાઇ ડોડિયા (35) હાલોલ-વડોદરા રોડ ઉપર વડોદરા ટોલ પ્લાઝા પર ઇલેકટ્રીકલ સુપર વાઇઝર તરીકે નોકરી કરતો હતો. આ સાથે તે પ્રાઇવેટ ઇલેક્ટ્રીશિયનનું પણ કામ કરતો હતો. કૃણાલના પરિવારજનોએ જણાવ્યું કે, કૃણાલ બુધવારે બપોરે 1 વાગે ઘરે જમવા માટે આવ્યો હતો. પત્નીને રાત્રે આવતા મોડું થશે, તેમ જણાવી પરત ઓફિસ ગયો હતો.
મોડી રાત સુધી કૃણાલ પરત ન ફરતા પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી. જેમાં કૃણાલે ટોલ પ્લાઝાના આઇ.ટી. રૂમના પાછળના ભાગે વાયરથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હોવાની માહિતી મળી હતી. જોકે, પરિવારજનોએ કૃણાલે આપઘાત કર્યો નથી. પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ મૂક્યો છે