ગુજરાત
News of Thursday, 26th March 2020

આજે ગુજરાતની બજારોમાં ૫૯૦૦૦ કિવન્ટલ બકાલુ, ૨૬૮૦ કિવન્ટલ ફળ આવ્યા

આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા માટે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનો કંટ્રોલ રૂમ : કંટ્રોલ રૂમમાં ધનંજય દ્વિવેદી - અનુપમ આનંદને જવાબદારી : રોજ ૫૫ લાખ લીટર દૂધ પાઉચ ઉપલબ્ધ

રાજકોટ તા. ૨૬ : વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની સ્થિતીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા ર૧ દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે.ઙ્ગગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજયના સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે તેવું સુદ્રઢ આયોજન રાજય સરકારે હાથ ધર્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના હરેક નાગરિકો-પરિવારોને આવી જીવનજરૂરી ચીજવસ્તુઓ બેરોકટોક મળતી રહે તે માટે જિલ્લાના પુરવઠા તંત્રને સતત મોનિટરીંગ કરવા પ્રેરિત કર્યુ છે.ઙ્ગ

મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, સહકાર સચિવ શ્રી મનિષ ભારદ્વાજ અને અન્ન નાગરિક પુરવઠા સચિવ શ્રી મોહમદ શાહિદે રાજયના બધા જ જિલ્લાના પુરવઠા અધિકારીઓ, જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રારશ્રીઓ સાથે ગાંધીનગરમાં વિડીયો કોન્ફરન્સ કરીને આવી સપ્લાય ચેઇન સુપેરે ચાલે તે માટે માઇક્રો પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો.ઙ્ગ

શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે, રાજયમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક ૨૪*૭ સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-૧૦૭૦ તથા ૦૭૯-૨૩૨૫૧૯૦૦ પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે, તેમ તેમણે ઉમેર્યુ હતું. ઙ્ગ

શ્રી અશ્વિનીકુમારે રાજયમાં શાકભાજીની આવક અને ખપતની વિગતો આપતાં કહ્યું કે, ગુરૂવારે સવારે રાજયની શાકભાજી મંડળીઓ-માર્કેટમાં પ૯ હજાર કિવન્ટલ શાકભાજીની આવક રહી છે. ૧૩૬૫૫ કિવન્ટલ બટાટા, ૪૩પ૦ કિવન્ટલ ડુંગળી, ૬૯૦૦ કિવન્ટલ ટમેટા અને ૩૪૦૦૦ કિવન્ટલ લીલા શાકભાજી રાજયના નાગરિકોના વપરાશ માટે ઉપલબ્ધ થયેલા છે.ઙ્ગ

સમગ્ર રાજયમાં ૬૮ જેટલા શાકભાજી માર્કેટ કાર્યરત છે તેમજ ચૈત્રી નવરાત્રિના આ પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત રાખનારા લોકોને અગવડતા ન પડે તે માટે પુરતા ફળફળાદિ પણ બજારમાં ઉપલબ્ધ છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આપી હતી.ઙ્ગ

તેમણે કહ્યું કે, રાજયમાં ૬૧૦ કિવન્ટલ કેળાં, ૯૭૦ કિવન્ટલ સફરજન અને ૧૧૦૦ કિવન્ટલ અન્ય ફળફળાદિ સહિત ર૬૮૦ કિવન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે.ઙ્ગ

રાજયના નાગરિકો – જનતા જનાર્દનને દૂધ પણ પૂરતું અને સરળતાએ મળી રહે તેવા આયોજન સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ કહ્યું કે રાજયમાં દૈનિક પપ લાખ લીટર પાઉચનું વિતરણ થઇ રહ્યું છે. તમામ જિલ્લામાં આ દુધ વિતરણ સુનિશ્યિત કરવા તેમજ દૂધ વિતરણ કેન્દ્રો કાર્યરત રહે તે માટે જિલ્લા પુરવઠા તંત્રને તાકીદ કરવામાં આવી છે.ઙ્ગ

આ દૂધ સપ્લાય ઉપરાંત જરૂર જણાયે દૂધના ટ્રેટા પેક પાઉચ અને સ્કીમ્ડ મિલ્ક પાવડર પણ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે એમ પણ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, રાજયમાં આ મહામારી સામે રક્ષણાત્મક રોગ નિયંત્રણ પગલાં આવશ્યક સેવાઓ અને જીવનજરૂરી ચીજવસ્તુ સપ્લાય સહિતની સમગ્ર કામગીરીના સુચારૂ સંચાલન માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કાર્યરત કરાયેલા કંટ્રોલરૂમમાં સંબંધિત વિભાગોના સંકલન-માર્ગદર્શન માટે પાણી પુરવઠા સચિવશ્રી ધનંજય દ્વિવેદી અને આદિજાતિ વિકાસ સચિવ શ્રી અનુપમ આનંદને જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આરોગ્ય વિભાગનો કંટ્રોલરૂમ છે જ તે ઉપરાંત, અન્ન-નાગરિક પુરવઠો, પોલીસ, વાહન વ્યવહાર, બંદરો, સાયન્સ ટેકનોલોજી શહેરી વિકાસ, પંચાયત અને ઊદ્યોગ વિભાગના અધિકારીઓ પણ ૨૪હૃ૭ કાર્યરત છે.ઙ્ગ

આ વિભાગોના એક એક નોડલ ઓફિસર્સની સંકલન માટે નિમણૂંક કરવામાં આવી છે તેમ પણ અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું.ઙ્ગસહકાર સચિવ મનિષ ભારદ્વાજ, અન્ન નાગરિક પુરવઠા સચિવ મોહમદ શાહિદ તેમજ નાગરિક પુરવઠા નિગમના કાર્યકારી એમ.ડી. તુષાર ધોળકીયા, સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર ડી.પી. દેસાઇ વગેરે પણ આ વેળાએ જોડાયા હતા.

(4:10 pm IST)