પહેલી એપ્રિલથી રવિપાકની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરુ કરાશે
ટેકાના ભાવે રાયડો, સરસવ સહિત મગની ખરીદી કરાશે :તમામ કલેકટરોને પત્ર પાઠવ્યો
ગાંધીનગર:રાજ્યમાં પહેલી એપ્રિલથી રાજય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્રારા રવિ પાકની ખરીદી ટેકાના ભાવે શરૂ કરાશે આ માટે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આદેશ આપવામાં આવ્યો છે
. આગામી 1લી એપ્રિલથી એક મહિના સુધી ચણા, રાયડો, સરસાવ અને મગની ખરીદીની પ્રક્રિયા નક્કી કરેલા કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે. જ્યારે 8 એપ્રિલથી 5 દરમિયાન પાકની ખરીદી શરૂ કરવામાં આવશે.
વર્ષ 2018-19માં લઘુત્તમ ટેકાના ભાવે રાયડો, સરસવ સહિત મગની ખરીદીની પ્રક્રિયા 1લી એપ્રિલથી એક મહિના સુધી શરૂ કરવાનું આદેશમાં જણાવાયુંછે. સરકારે નિયત કરેલા કેન્દ્રમાં8 એપ્રિલથી 5 મે સુધી ખરીદી કરવામાં આવશે, જ્યારે 1 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીના સમયે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ પ્રકારની કોઇ સમસ્યા રવિ પાકનીખરીદી વખતે નથાય તેની ખાસ તકેદારી રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.